Satya Tv News

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. વલવાડા ઝાડી વિસ્તારમાં ઘોડસ્થળ પુલ પાસે બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમવતા ઘટના બની હતી. બસમાં સવાર મુસાફરો ગાંધીનગરથી નાસિક શીરડી યાત્રા પર નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં બસને અકસ્માત નડ્યો હતો. લક્ઝરી બસમાં 26 મુસાફરો સવાર હતા. અકસ્માતને પગલે મહુવા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.

બસમાં 26 મુસાફરો સવાર હતા. આ તમામ મુસાફરો મહેસાણાના રહેવાસી છે અને તેઓ ગાંધીનગરથી નાસિક શીરડી યાત્રાએ જવા નીકળ્યા હતા.મુસાફરો ત્રણ દિવસની યાત્રા પર નીકળ્યા હતા, ત્યારે મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર બસને અકસ્માત નડ્યો છે.બે મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ટ મહિલાને અનાવલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખાસેડાયા છે.બસ પુલની સાઇડના ભાગે ભટકાઇ હતી અને પુલ અને રસ્તા વચ્ચે લટકી પડી હતી. બસને બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી હતી.

error: