Satya Tv News

YouTube player

શ્રી પરશુરામ સંગઠન દ્વારા વૃક્ષની પૂજા કરાઈ
શ્રાવણમાસમાં ગૌપૂજા,પવિત્ર ઓદુમ્બરવૃક્ષની પૂજા
સફળતાના નવ વર્ષ પૂર્ણ કરી દસમા વર્ષમાં પ્રવેશ
શ્રી પરશુરામ સંગઠનના પ્રમુખની સર્વાનુમતે વરણી

ભરૂચમાં શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન તેની સફળતાના નવ વર્ષ પૂર્ણ કરી નવા નામ તેમજ નવા ચિન્હ સાથે દસમા વર્ષમાં પ્રવેશની ઉજવણી કરી હતી તેમજ શ્રી પરશુરામ સંગઠનના પ્રમુખ તરીકે કૃણાલ દવેની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

બિનરાજકીય વિચારધારા તેમજ સામાજિક સેવાકાર્ય અર્થે નવ વર્ષ પહેલાં શરૂ થયેલ શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન તેની સફળતાના નવ વર્ષ પૂર્ણ કરી શ્રી પરશુરામ સંગઠન ના નવા નામકરણ સાથે અને નવા પ્રતીક ચિન્હ સાથે પવિત્ર શ્રાવણ માસમાં દસમા વર્ષમાં પ્રવેશ કર્યો છે.જે અંતર્ગત ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ માતાના સાનિધ્યમાં શાસ્ત્રી કિરણભાઈ જોશીએ ગૌપૂજા તેમજ પવિત્ર ઓદુમ્બરવૃક્ષની પૂજા-અર્ચન સભ્યોને કરાવ્યું હતું. આ સાથે બ્રહ્મઅગ્રણી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના જિલ્લા પ્રમુખ બિપિન ભટ્ટ, શહેર એકમના પ્રમુખ હેમંત શુકલના હસ્તે શ્રી પરશુરામ સંગઠનના નવા પ્રતીક ચિન્હનું અનાવરણ કરવામાં આવ્યું, તેમજ ઉપસ્થિત સભ્યોની હાજરીમાં સર્વાનુમતે કૃણાલ દવેની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: