Satya Tv News

YouTube player

ભારતના સ્વ.રાજીવ ગાંધીનો 79 માં જન્મદિવસ
કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
ભારતને એક અલગ ઓળખ આપવા આપ્યું બલિદાન

ભારત દેશમાં કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર સ્વ. રાજીવ ગાંધીના આજે 79 માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ભારત દેશના સૌથી યુવા પૂર્વ વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય અને આધુનિક ભારતના શિલ્પી સ્વ. રાજીવ ગાંધીનો આજે 79 માં જન્મદિવસ છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ હરેશ પરમાર,નગરપાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ,સલીમ અમદાવાદી, સંદીપ માગરોલા સહિત કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર વિશ્વમાં ભારત દેશને એક અલગ ઓળખ અપાવવામાં સિંહફાળો આપનાર સ્વ. રાજીવ ગાંધીએ બલિદાન આપ્યું છે. જેમાં સંદેશા વ્યવ્હાર ક્રાંતિ, કોમ્પ્યુટર ક્રાંતિ, શિક્ષણનો પ્રસાર, 18 વર્ષના યુવાનોને મતાધિકાર અને પંચાયતી રાજ જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. સ્વ. રાજીવ ગાંધીના જન્મદિવસ અવસરે તેઓને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: