Satya Tv News

YouTube player

કોંગ્રેસના નેતા સ્વ.અહમદ પટેલની જન્મજયંતિ
74મી જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલિ સભા
ભરૃચ રોટરી ક્લબ ખાતે આયોજન કરાયું
કોંગ્રેસ સાથેના ગઠબંધનમાં લોકસભાની ચૂંટણી લડાશે
આમ આદમી પાર્ટી ચૂંટણીમાં ઉમેદવાર ઉતારશે

ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.અહમદ પટેલની 74મી જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલિ સભાનું ભરૃચ રોટરી ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૃચ ખાતે સ્વ.અહમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલિ સભા યોજાઇ, જેમાં સ્મરણાંજલિ સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ, અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ તેમજ પુત્રી મુમતાઝ ,આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય રાજકીય અગ્રણીઓ અને કોંગીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શકિતસિંહ ગોહિલે રાજકીય વાતથી દુર રહી અહેમદ પટેલના યોગદાનને બિરદાવી તેઓના લોકહિત પ્રત્યે તેઓની પ્રતિબદ્ધતાને પણ યાદ કરી હતી..તો આ પ્રસંગે આવેલ આપના ધારાસભ્ય ચૈતર પટેલે કોંગ્રેસ સાથેના ગઠબંધનમાં લોકસભાની ચૂંટણી લડવામાં આવશે અને તેમ નહી થાય તો ગુજરાતની તમામ 26 બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણીમાં ઉમેદવાર ઉતારશે તેમ પણ કહ્યું હતું..સ્વ.અહેમદ પટેલની સ્મરણાંજલિ સભામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન સૈયદ સહિત અન્ય કોંગી અગ્રણીઓ સહિત ખૂબ વિશાળ સંખ્યામાં કોંગીજનો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: