Satya Tv News

વડોદરા નજીક ગત રોજ રાત્રીનાં સુમારે કેટલાક અજાણ્યા લોકો દ્વારા ટ્રેન ઉથલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતું રાત્રીનાં સુમારે રાત્રે ટ્રેનને પસાર થવા માટે સિગ્નલ ન મળતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે ઓખા-શાલીમાર અને અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ પેસેન્જરોનો આબાદ બચાવ થયો હતો.વડોદરા સુરત રેલવે ટ્રેક પરનાં પિલ્લર વચ્ચે અસામાજીક તત્વો દ્વારા મેટલ ફેનસિંગ પોલ મુકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આ ઘટનાં વરણામાં અને ઈંટોલા સ્ટેશન વ્ચે બની હતી. ગઈકાલે રાત્રે ટ્રેનને પસાર થવા માટે સિગ્નલ ન મળતા મામલો સામે આવ્યો હતો. જેમાં કેટલાક અસામાજીક તત્વોએ મેટલ ફેન્સિંગ પોલ મુકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.

error: