Satya Tv News

વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું, 28 ઓગસ્ટના રોજ પ્રાકૃતિક સંસાધન મંત્રાલયે 2023નો માનક નકશો જાહેર કર્યો. કાનૂની સાર્વભૌમત્વ પ્રક્રિયાના ભાગરૂપે ચીનમાં આ નિયમિત પ્રથા છે. અમે આશા રાખીએ છીએ કે સંબંધિત પક્ષો આ મુદ્દા પર ઉદ્દેશ્ય રહેશે અને શાંતિથી કામ કરશે. સંબંધિત પક્ષોએ આ મુદ્દાનું વધુ પડતું અર્થઘટન ટાળવું જોઈએ.

હકીકતમાં વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના નવા ‘નકશા’ને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. જયશંકરે કહ્યું કે, આ પ્રકારના નકશા જાહેર કરવા ચીનની જૂની આદત છે. તેમના દાવાઓથી કંઈ થતું નથી. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, ચીને નકશામાં જે વિસ્તારોને પોતાના તરીકે દર્શાવ્યા છે, તે તેમનો નથી. આવું કરવું ચીનની જૂની આદત છે. અક્સાઈ ચીન અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે. આ પહેલા પણ ચીન ભારતના ભાગોને લઈને નકશા બહાર પાડી રહ્યું છે. તેના દાવાઓથી કંઈ થતું નથી. અમારી સરકારનું વલણ સ્પષ્ટ છે. નકામા દાવા કરવાથી એવું થતું નથી કે, બીજાના વિસ્તારો તમારો થઈ જશે.

આ પહેલા એપ્રિલ 2023માં ચીને પોતાના નકશામાં અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ બદલ્યા હતા. ચીને છેલ્લા 5 વર્ષમાં ત્રીજી વખત આવું કર્યું છે. આ પહેલા ચીને 2021માં 15 અને 2017માં 6 સ્થળોના નામ બદલ્યા હતા.

error: