Satya Tv News

રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવાં તહેવારોને લઇને દર વર્ષે સુરતથી સૌરાષ્ટ્ર તરફ લોકોનો ધસારો વધુ હોય છે. સુરતમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો રહે છે, તેઓ સાતમ-આઠમના તહેવાર પર પોતાના વતન જતા હોય છે. આ દરમિયાન તહેવાર પર મુસાફરોનો ભારે ધસારો રહે છે. ત્યારે મુસાફરોને સવલત મળી રહે અને અગવડતા ન પડે તેવા હેતુથી સુરત એસ.ટી.નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 6 અને 7 સપ્ટેમ્બરે સુરત એસટી વિભાગ દ્વારા 100 જેટલી વધારાની બસ દોડાવવામાં આવશે

આ અંગે વિભાગીય નિયામક પી.વી ગજ્જરે કહ્યું કે, તહેવાર પર મુસાફરોને કોઈ હાલાકી ન પડે અને સુવિધા મળી રહે તે માટે એસ. નિગમ દ્વારા દર વર્ષ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવે છે. ત્યારે 6 અને 7 સપ્ટેમ્બરે વધારાની બસ દોડાવવાનું નક્કી કરાયું છે. હાલ 100 જેટલી વધારાની બસો દોડાવવાનું આયોજન છે. જો મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો હજુ પણ વધુ બસો મુકવામાં આવશે. કોઈ 50 મુસાફરોનું ગ્રુપ તૈયાર થાય તો જે તે વિસ્તારથી બસની સુવિધા મળી રહેશે. બસની સુવિધા મેળવવા માટે અગાઉથી બુકિંગ કરાવવું પડશે. મુસાફરોના ગ્રુપને તેમના ગામ કે ઘર સુધી ST બસ લઈ જશે.

error: