Satya Tv News

અમદાવાદના એસ.જી હાઈવે પર પકવાન બ્રિજથી ગાંધીનગર જતાં માર્ગ પર આજે વહેલી સવારે કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. એસ.જી હાઈવે પર અકસ્માત સર્જાતા રાહદારીઓના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. જેમાં સ્થાનિકો દ્વારા કારમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તો આ અંગેની જાણ એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી.

આ અકસ્માતમાં કરવામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાંની સાથે જ પોલીસની ટીમ પણ અકસ્માત સ્થળે દોડી આવી હતી અને કારને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

error: