Satya Tv News

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અને રાઘવ જયપુરની ‘લીલા પેલેસ’માં સાત ફેરા લેશે. સૂત્રોનું માનીએ તો, ‘લીલા પેલેસ’માં લગ્ન અને અન્ય ધાર્મિક વિધિઓ માટે તૈયારીઓ ચાલી રહી હોવા છતાં, આ ભવ્ય ‘બિગ ફેટ ઈન્ડિયન વેડિંગ’મા આવનારા VIP મહેમાનોના રહેવાની વ્યવસ્થા ઓબેરોયના ઉદય વિલાસમાં કરવામાં આવી રહી છે. જ્યારે મિત્રો અને પરિવાર માટે ફતેહ પ્રકાશ અને તાજ ખાતે બુકિંગ કરવામાં આવ્યું છે. વરરાજા અને કન્યા લીલા પેલેસમાં તેમના નજીકના પરિવાર સાથે રહેશે.

રાઘવ અને પરિણીતીના લગ્ન પંજાબી રીતિ-રિવાજ મુજબ થવાના છે, જેના માટે હોટલમાં જ વ્યવસ્થા કરવામાં આવશે. વરરાજા અને કન્યાની લગ્નમાં હાજરી આપનારા વીઆઈપી મહેમાનોની સુરક્ષાનું પણ ખૂબ ધ્યાન રાખ્યું છે. પરિણીતી અને રાઘવના લગ્નનું રિસેપ્શન ગુરુગ્રામમાં યોજાશે.

સબ્યસાચી અને મનીષ મલ્હોત્રા બોલિવૂડમાં એવા બે ફેશન ડિઝાઇનર્સ છે, જેમના કપડાં પહેરીને દરેક અભિનેત્રી લગ્નના સાત ફેરા લેવાનું સપનું જુએ છે. છેલ્લા ઘણા દિવસોથી પરિણીતી જે રીતે મનીષ મલ્હોત્રાના ઘરની બહાર જોવા મળી રહી છે તે જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, પરિણીતી તેના લગ્નમાં મનીષ મલ્હોત્રાનો લહેંગા પહેરી શ

error: