Satya Tv News

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની હાઈ વોલ્ટેજ મેચ રમાવાની છે પરંતુ તેને માટે બધી ટિકિટો વેચાઈ ગઈ છે. ભારત-પાક.મેચની ટિકિટનો ભાવ 56 લાખ રુપિયા છે તેમ છતાં પણ બુકિંગ હાઉસફૂલ થઈ ગયું છે. 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન ભારતમાં વનડે વર્લ્ડ કપ રમાવાનો છે. 14 ઓક્ટોબરે મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે, આમ તો તેની બધી ટિકિટો વેચાઈ ગઈ છે પરંતુ વધારેમાં વધારે લોકો મેચ જોઈ શકે તે માટે બીસીસીઆઈએ એક મહત્વનું એલાન કર્યું છે. બીસીસીઆઈએ ભારત-પાકિસ્તાન મેચ માટે આશરે 4 લાખ વધારાની ટિકિટોની જાહેરાત કરી છે જેથી કરીને વધુને વધુ લોકો મેચ જોઈ શકે.

error: