Satya Tv News

જેતપુરના લોકમેળામાં એક યુવતીનું હાર્ટ અટેકથી મોત થયું છે. બલળથ બારવાળા ગામની અંજનાબેન ભુપત ગોંડલીયા નામની 26 વર્ષીય યુવતીની તાજેતરમાં જ સગાઇ થઈ હતી. આ દરમિયાન તે જેતપુરના લોકમેળામાં સાસરીયા પક્ષ સાથે પહોંચી હતી. જોકે મેળામાં ચકડોળમાંથી નીચે ઉતર્યા બાદ યુવતીને ચક્કર આવ્યા હતા. આ દરમિયાન યુવતીને હાર્ટ એટેક આવતા હોસ્પિટલ ખસેડતા ફરજ પર ડોક્ટરે મૃત જાહેર કરી હતી

રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ પાસે વીર હનુમાનજી ચોક પાસે જન્માષ્ટમીના કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન 25 વર્ષીય જતીન સરવૈયા નામના યુવકનું હાર્ટ એટેક આવતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જોકે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ તરફ જુવાનજોધ દીકરાના મોતથી પરિવારજનો સહિત પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

રાજકોટના જેતપુરના પંચવટી વિસ્તારમાં રહેતા યુવાનને ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ભરતગીરી ગોસ્વામી નામના 26 વર્ષીય યુવાન હાર્ટ એટેક આવતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. જેથી મૃતકના મૃતદેહને પીએમ અર્થ ખસેડાવામાં આવ્યો હતો.

error: