Satya Tv News

આગામી લોકસભાની ચૂંટણીઓ પહેલા જ ભરૂચ લોકસભા બેઠક પરનું રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે,જ્યાં I, N, D, I, A ગઠબંધન માં ટિકિટ માટે હમણાં થી જ ખેંચતાણ જામી છે તો બીજી તરફ છ ટર્મ થી સાંસદ રહેલા મનસુખ વસાવા પણ આક્રમક અંદાજ માં જાહેર સંમેલનૉ થકી પોતાની જ પાર્ટીના ધારાસભ્ય અને હોદ્દેદારો સામે બાયો ચઢાવી લાલધુમ બન્યા છે,

લોકસભા ચૂંટણીની તારીખો હજુ જાહેર થઈ નથી તે પૂર્વે તો ભરૂચ જિલ્લાના ટ્રાઈબલ વિસ્તારમાં રાજકીય માહોલ બરાબર નૉ જામ્યો છે, જ્યાં ભાજપ, કોંગ્રેસ, આપ, બીટીપી સહિતના દિગ્ગજ નેતાઓ આદિવાસી વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટેની લડાઈ માં જોતરાઈ ગયા છે,ત્યારે હવે બુધવારે આદિવાસી અધિકાર પદ યાત્રા નૉ પ્રારંભ થઈ રહ્યો છે,

ભરૂચ જિલ્લાના નેત્રંગ ચાર રસ્તા ખાતેથી બુધવારે સવારે આદિવાસી અધિકાર યાત્રાની શરૂઆત થઇ રહી છે, આ યાત્રા નેત્રંગ, વાલિયા અને ઝઘડિયાના વિસ્તારમાં ફરી અંકલેશ્વર થઇ ભરૂચ કલેકટર કચેરી ખાતે સમાપન થશે, આ યાત્રા માં કહેવાય રહ્યું છે કે અનેક રાજકીય તેમજ બિન રાજકીય આગેવાનો જોડાઈ શકે છે.

યાત્રાનૉ ઉદ્દેશ આદિવાસી સમાજના અસ્તિત્વની લડાઈના “સંઘર્ષ “માટે વિશ્વ આદિવાસી અધિકાર દિવસના ભાગ રૂપે કાઢવામાં આવી રહી છે, જેમાં આદિવાસી સમાજ ને લગતા હક અને અધિકારો ની બાબત ને લઈ આગેવાનો દ્વારા પદયાત્રા કાઢી રજુઆત કરવામાં આવનાર હોવાનું કહેવાય રહ્યું છે.

error: