Satya Tv News

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સતત ચોથા દિવસે એન્કાઉન્ટર ચાલુ છે. બુધવારે વહેલી સવારે શરૂ થયેલા આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં ચાર જવાન શહીદ થયા છે. આતંકવાદીઓને ખતમ કરવા માટે સેનાના જવાનો રોકેટ લોન્ચર અને હેક્સાકોપ્ટર ડ્રોન વડે આતંકીઓના ઠેકાણાઓ પર બોમ્બ ફેંકી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, કોકરનાગના જંગલોમાં હાજર પહાડીઓમાં 2 થી 3 આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે. સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા છે. આતંકવાદીઓ પર સતત બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. ડ્રોનથી આતંકવાદીઓના ઠેકાણાઓ પર બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે.આ ઓપરેશન પર મોટી અપડેટ આપતા કાશ્મીરના ADGPએ ટ્વિટર પર લખ્યું, ‘આ ઓપરેશન ચોક્કસ ઇનપુટના આધારે ચલાવવામાં આવી રહ્યું છે. 2-3 આતંકીઓ ઘેરાયેલા છે, જેમને જલ્દી પકડવામાં આવશે.

છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલ આ એન્કાઉન્ટર 2020 પછીનું સૌથી લાંબુ એન્કાઉન્ટર છે. શુક્રવાર બાદ શનિવારે સવારે સેનાના જવાનોએ ફરી એકવાર આતંકીઓને ખતમ કરવા ઓપરેશન શરૂ કર્યું. આ ઓપરેશનમાં સેનાની પેરા કમાન્ડો ટુકડી પણ સામેલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે સૈનિકો પહાડી તરફ આગળ વધ્યા કે તરત જ આતંકીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું.

અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે સવારે 40 મિનિટ સુધી આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર ચાલુ રહ્યો હતો. લગભગ અઢી કલાક પછી, સવારે 11 વાગ્યે, આતંકવાદીઓ અને જવાનો વચ્ચે ફરીથી અથડામણ શરૂ થઈ. આ પછી, શહીદ સૈનિકના નશ્વર અવશેષોને બપોરે 2 વાગ્યે એન્કાઉન્ટર સ્થળ પરથી નીચે લાવવામાં આવ્યા હતા.

error: