Satya Tv News

ચાંદોદ કરનાળી પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયા
JRDના જવાનને વીજકરંટ લાગતા મોત નિપજ્યું
મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
JRD સહિત પોલીસ બેડામાં ભારે શોકનો માહોલ

ડભોઇ તાલુકાના ચાંદોદ કરનાળી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે નર્મદા ડેમના પાણી છોડતા પોલીસ સ્ટેશનની અંદર પાણી ભરાઇ જતાં જરૂરી દસ્તાવેજોને સરસામાન ખસેડતી વખતે જીઆરડી યુનિટના જવાનને વીજકરંટ લાગતા અકસ્માતે મોત નિપજ્યું હતું .

ડભોઇ તાલુકાના ચાંદોદ પોલીસ સ્ટેશન માંથી મળતી વિગતો અનુસાર નર્મદા ડેમના પાણી છોડાતા કરનાળી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન સંકુલમાં પાણી ભરાઈ જતાં કરનાળી આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા જી આર ડી જવાન કિરણ હમીર બારીયા ઉંમર વર્ષ 32 રહેવાસી વડીયા ગામનો જરૂરી દસ્તાવેજો ને સરસામાન ખસેડતી વેળા લાગ્યો વીજ કરંટ લાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત જીઆઇડી જવાનને ડભોઇ પ્રમુખસ્વામી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ જીઆરડી જવાનનું મોત નિપજ્યું હતું, બનાવને પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે ત્યારે સમગ્ર જી આર ડી યુનિટ સહિત પોલીસ બેડામાં ભારે શોક વ્યાપી ગયો હતો.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: