Satya Tv News

સાને ગુરુજી ગણેશ મિત્ર મંડળ ગણેશ પંડાલમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ દરમિયાન તણખો ઝરતા જોતજોતામાં આગ ભભુકી ઉઠી હતી. અધિકારી શર્માએ જણાવ્યું કે મહેમાનોનું સ્વાગત કરવા માટે ફટાકડા મૂકવામાં આવ્યા હતા, જેના કારણે આગ લાગી હતી. જેમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને પણ પંડાલમાંથી માંડ માંડ બહાર કાઢવામાં આવ્યા હતા. પુણે શહેર ભાજપ અધ્યક્ષ ધીરજ ઘાટે અને સુરક્ષા કર્મચારીઓ પંડાલમાંથી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને બહાર લઈ જતા જોવા મળ્યા હતા.

વિઘ્નહર્તા દુંદાળા દેવની દયા સમાન એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પંડાલમાં આગ લાગતાની સાથે જ વરસાદ શરૂ થઈ ગયો હતો. જેને લઈને આગે વિકરાળરૂપ ધારણ કર્યું ન હતું. મહત્વનું છે કે આ પંડાલ ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની થીમ પર બનાવાયું હોવાથી તે આસ્થા, આકર્ષણ અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે.

error: