Satya Tv News

YouTube player

માંગરોળના પાલોદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન
આસપાસના રક્તદાતોઓએ પણ કર્યું રક્તદાન 
રક્તદાન પ્રત્યે લોકો જાગૃત થાય તે અંગે સંદેશ

માંગરોળ તાલુકાના પાલોદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા રક્તદાન કેમ્પમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

માંગરોળ તાલુકાના પાલોદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી સપ્તાહ અંતર્ગત રક્તદાન કેમ્પ તેમજ તાલુકામાં વિવિધ સ્થળે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. પાલોદ માટીવા ઓફીસ ખાતે યોજવામાં આવેલ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પાલોદ ગામ સહિત આસપાસના રક્તદાતોઓએ રક્તદાન કર્યું હતું. લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરી એક રક્તદાતા તરીકેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ રક્તદાન દરમ્યાન રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલ માંગરોળ ના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે માંગરોળ તાલુકા પંચાયત નવ નિયુક્ત પ્રમુખ મનહર વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય રવજી વસાવા, અફઝલ પઠાણ તેમજ સરપંચ દિનેશ આહીર સહિતના આગેવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. લોકોને રક્તદાન પ્રત્યે જાગૃત બને તે અંગે સંદેશ આપવામાં આવ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ પરેશ પ્રજાપતિ સાથે સત્યા ટીવી સુરત

error: