Satya Tv News

YouTube player

આશાપુરા માતાના દર્શનાર્થે નીકળેલ બે સાયકલીસ્ટ
બે સાયકલીસ્ટ યાત્રી ભરૂચ પહોંચ્યા
સાયકલીસ્ટનું ભરૂચના સભ્યોએ કર્યું સ્વાગત
જિ.ના સાયકલીસ્ટો દ્વારા કરાયું સન્માન

મહારાષ્ટ્રથી ગુજરાતના કચ્છમાં આવેલા આશાપુરા માતાના દર્શનાર્થે નીકળેલા બે સાયકલીસ્ટ યાત્રી ભરૂચ આવી પહોંચ્યા હતા.આ બંને સાયકલીસ્ટનું ભરૂચના સાયકલીસ્ટ ગ્રુપના સભ્યોએ સ્વાગત કરી તેમને ઉત્સાહિત કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્ર રાજ્યના અહેમદ નગરમાં કલ્પેશ પટેલ અને પરેશ પટેલ રહે છે.તેઓએ આ વર્ષે ગુજરાતના કચ્છમાં અંદાજીત 1200 કિલોમીટર દૂર આવેલા આશાપુરા માતાના મઢ ખાતે દર્શનાર્થે જવા માટે સાયકલ ચલાવી પહોંચવાનું નિર્ધાર કર્યો હતો.જેથી આ બંને યુવાનોએ અહેમદ નગરથી સાયકલ લઈને આશાપુરા માતાના મઢમાં જવા નીકળ્યા હતાં. તેઓ મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં પ્રવેશી ભરૂચ જિલ્લામાં સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચતા ભરૂચના સાયકલીસ્ટ ગ્રુપના સ્વેતા વ્યાસ વ્યાસ,મદન મોર્યા અને રાજેશ્વર રાવ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.ગુજરાતના ભરૂચ જિલ્લાના સાયકલીસ્ટો દ્વારા તેમની સન્માન કરવામાં આવતા બંનેના જુસ્સામાં વધારો થયો હતો.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: