Satya Tv News

ગુજરાતમાં જ્ઞાન સહાયકની ભરતીનો અનેક ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન હવે જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ હવે ઉમેદવારોના વિરોધ વચ્ચે સરકાર મક્કમ બની છે. આ સાથે જ્ઞાન સહાયક યોજનાને લઈ હવે ઉમેદવારોને અરજી કન્ફર્મેશન માટે વધુ સમય આપવામાં આવ્યો છે. જેથી હવે જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારો 12 ઓક્ટોબર રાતે 12 વાગ્યા સુધી કન્ફર્મેશન આપી શકશે. મહત્વનું છે કે, પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર કર્યા બાદ સરકારે કન્ફર્મેશન માટે સમય વધારો કર્યો છે.

error: