Satya Tv News

રાજ્યમાં હવામાન વિભાગે 15 અને 16 ઓક્ટોબરે વરસાદની આગાહી કરી છે. 15 ઓક્ટોબરે નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે પહેલા અને બીજા નોરતે વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર,દમણ અને દાદરાનગરહવેલીમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

error: