Satya Tv News

આજથી આસો નવરાત્રીનો થયો પ્રારંભ
તવરા 5 દૈવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના
આહીર સમાજ દ્વારા માતાજીના જવારાની સ્થાપના
ગરબામાં રમઝટ બોલાવી નવરાત્રી ઉજવણી

આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થયો ત્યારે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે આસો નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના મંદિરે જવારાની સ્થાપના કરવામાં આવી હતી.જયારે સમગ્ર ભરૂચ જિલ્લામાં આસો નવરાત્રિના પ્રથમ નોરતે થીજ કેટલાક ભક્તો એકટાણું ઉપવાસ કરી માતાજીની ભક્તિમાં લીન બની મોડી રાત્રે શેરી ગરબામાં રમઝટ બોલાવી આસો નવરાત્રી ઉજવણી કરવામાં આવે છે

આહીર સમાજ દ્વારા આસો નવરાત્રીની પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે આસો નવરાત્રીના પ્રથમ નોરતે વહેલી સવારે માતાજીના માઇ ભક્તો નર્મદા સ્નાન કરી માતાજીના જવારાની સ્થાપના કરી હતી. તથા માતાજીના મઢને પણ સાફ-સફાઈ કરી માતાજી જવારાની સ્થાપના કરવામાં આવી હતી માતાજીના જવારાનું દસ દિવસ પુજન અર્ચન કરી દસ દિવસ ઉપવાસ પણ માતાજીના મય ભક્તો કરી આસો નવરાત્રિની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરનાર છે. આસો નવરાત્રીનો ઉત્સવ આહીર સમાજ દ્વારા પેઢીઓથી ઉજવાય રહ્યો છે. દસ દિવસ માતાજીના જવાની સ્થાપના કરી માતાજીના જવારાનું પૂજન અર્ચન કરી વિવિધ કાર્યક્રમો કરી નવરાત્રીની ઉજવણી આહીર સમાજ દ્વારા કરવામાં આવે છે. જેમાં આજે પ્રથમ નોરતે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી. તથા દસ દિવસ સુધી માતાજીના જવારાનું પૂજન અર્ચન કરી દસમાં દિવસે દશેરાના દિવસે માતાજીના જવારાનું વિસર્જન નર્મદા નદીમાં ઢોલ નગારાના તાલે કરી માતાજીના જવારાને વિદાય આપવામાં આવે છે .આ ઉત્સવમાં ભરૂચ જિલ્લાભરમાંથી માઈ ભક્તો માતાજીના દર્શનઅર્થે તવરા પાંચદૈવી મંદિરે ઉમટી પડતા હોય છે. અને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.આ ઉત્સવ આહીર સમાજ દ્વારા પેઢીઓથી ઉજવાય રહ્યો છે

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: