Satya Tv News

દિલ્હીના નરેલામાં નવરાત્રિ મેળા એક ચકડોળ અધવચ્ચે બંધ થઇ ગયુ હતું.ચકડોળ અચાનક બંધ થવાના કારણે ઉપર બેઠેલા 50 લોકો અડધો કલાક સુધી અટવાયા હતા. આ દરમિયાન તેમના જીવ અધ્ધર થઇ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ટેક્નિકલ સમસ્યાના કારણે ચકડોળ બંધ થઈ ગયું હતું. પોલીસને આ ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્ર તરત જ એક્શનમાં આવી ગયું હતું.દિલ્હી પોલીસે પુષ્ટિ કરી છે કે દરેકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે ટેક્નિકલ સ્ટાફ અને અન્ય લોકોની મદદથી ફસાયેલા લોકોને બચાવ્યા હતા.

error: