Satya Tv News

ભરૂચ લોકસભા સીટ પરથી આપનાં ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ જાહેર કરતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ચૈતર વસાવાને ભરૂચ લોકસભાનાં ઉમેદવાર જાહેર કરતા મનસુખ વસાવાએ તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ચૈતર વસાવા આવે કે ગમે તે કરે અમે છ ટર્મથી જીતતા આવ્યા છીએ અને જીતીશું. આમ આદમી પાર્ટી લોકસભાનાં ઉમેદવાર ડિકલેર કરે કે કોંગ્રેસ, ભાજપ તેમનાં કામોને લઈ જીતે છે. આદમી પાર્ટીનું કોઈ અસ્તિત્વ જ નથી. ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે. અમારા ભાજપનાં કોઈપણ કાર્યકર બુથ સુધી પહોંચે છે. આપ વાળા એવું વિચારે છે કે દિલ્હી અને પંજાબમાં અમારી સરકાર છે એટલે ગુજરાતમાં અમે જીતીશું પણ એવું નહિ ચાલે. આજે આ લોકોને ગેરમાર્ગે દોરનારા કોઈ દિવસ ફાઈવા નથી.

ભારતીય જનતા પાર્ટી સંગઠન અને કાર્યકર્તાઓની તાકાતથી ચૂંટણી જીતે છે. બીજી પાર્ટીઓ મફત બધુ આપવાની વાત કરશે પણ કોઈ નીતિ નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિજાતિ મંત્રાલય બનાવ્યું અને આદિવાસીઓને તેમનાં હક્કો અપાવ્યા લાભો આપ્યા. મહેશભાઈ વસાવા ભાજપમાં જોડાયા કે નાં જોડાય ભાજપનું સંગઠન મજબૂત છે. મહે વસાવાનાં પીઠમાં ખંજપ મારી ધારાસભ્ય બનેલા ચૈતરનો ખીલો કાઢવા મહેશ વસાવા ફરી રાજકારણમાં આવશે.

error: