Satya Tv News

સુરત સીટી બસ ની અડફટે ધોરણ 11ના વિદ્યાર્થીના મોતની ઘટના બાદ મામલો તંગ બન્યો છે. ઘટના બાદ મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. અકસ્માત સમયે બસનો ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વિદ્યર્થી જઈ રહ્યો હતો ત્યારે બસે અકસ્માત કર્યો હતો.મૃતક વિદ્યાર્થીના પરિવારે લાપરવાહ બસ ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી છે. પરિવારે કહ્યું હતું કે “માત્ર નિયમો બનાવવાથી કાંઈ થતું નથી તેની કડક અમલવારી થવી જોઈએ”. બીઆરટીએસ અને સીટી બસના ચાલકો દ્વારા અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક સ્તરે પહોંચી છે. બેફામ બસ હંકારી અકસ્માતની ઘટનાઓ વારંવાર બનતી હોવાની રજુઆત કરવામાં આવી છે.

error: