Satya Tv News

અંકલેશ્વર જીઆઇડીસીની અડીને આવેલા ભડકોદ્રા ગામની સીમમાં બનાવાયેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લગતા વાતાવરણ ઇમરજન્સી વેહિકલના સાયરનોથી ગુંજી ઉઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભંગારના ગોડાઉનોમાં સમયાંતરે લગતી આગ પર્યાવરણ સામે ચિંતા ઉભી કરી રહી છે. અંકલેશ્વરમાં નોબલ સ્ક્રેપ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લગતા દોડધામ મચી હતી. અંકલેશ્વર DPMC ,પાનોલી નોટીફાયર અને અંકલેશ્વર નગરપાલિકાના પાંચ ફાયર ટેન્ડરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.ઘટનાના પગલે અંકલેશ્વર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. બનાવ સંદર્ભે પોલીસ ચોપડે નોંધ કરી આગ લાગવાના કર્ણની તપાસ શરુ કરવામાં આવી છે. આગની ઘટનાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

error: