Satya Tv News

ખેતરમાં વાડ કરવા માટે ગયેલ યુવાન પર હુમલો
યુવાન પર હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
સી ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો

ભરુચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં વાડ કરવા માટે ગયેલ યુવાનને આડા સંબંધની શંકા રાખી પતિ સહિત બે ઇસમોએ યુવાન ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે.

મૂળ નવ જીવન ઝૂપડપટ્ટી અને હાલ ભરુચના ઘી કુડીયા સ્થિત સુપર માર્કેટ સામે રહેતી સોનલબેન વસાવાના પતિ કરણ જેન્તિ વસાવા ગતરોજ સવારે ઘરેથી ટિફિન લઈ ભરુચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં વાડ કરવા માટે ગયા હતા તે દરમિયાન પતિ કરણ વસાવાનો નણંદ જોશના બેન ઉપર ફોન આવ્યો હતો અને અહિયાં ખેતરમાં જવાની વાડ ખુલ્લી છે.ત્યાં ગોલ્ડન બ્રિજ ઝૂપડપટ્ટી ખાતે રહેતો અર્જુન ઠાકોર વસાવા અને લાલા વેચાણ વસાવા ઊભા છે જે બંને ડોળા કાઢે છે.તેવું કહેતા બહેન જોશનાએ કરણ વસાવાને ઘરે આવી જવાનું જણાયું હતું જે બાદ યુવાન કઈક સમજે તે પહેલા જ પત્નીના આડા સંબંધની શંકા રાખી અર્જુન અને લાલા વસાવાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી માથા તેમજ પગના ભાગે યુવાનને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.આ તરફ બહેન જોશનાએ ભાભી સોનલ અને પિતાને જાણ કરતાં સોનલબેન,સસરા જેન્તિ વસાવા અને તેણીનો ભાઈ સ્થળ ઉપર દોડી આવ્યા હતા જ્યાં જોતાં કરણભાઈ લોહી લુહાણ હાલતમાં પડેલ હતો જેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું કરૂણ મોત નીપજયું હતું.હત્યા અંગે ભરુચ સી ડિવિઝન પોલીસે અર્જુન ઠાકોર વસાવા અને લાલા વેચાણ વસાવા વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

error: