Satya Tv News

અલ્લુ અર્જુનની સમગ્ર ભારતમાં ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ રીલિઝ થઈ હતી. ત્યારે નિર્માતાઓને તેની સફળતાનો કોઈ અંદાજ નહોતો. પરંતુ ડિસેમ્બર 2021માં લોકડાઉન પછી આ ફિલ્મે દર્શકોને દિવાના બનાવી દીધા છે. આ ફિલ્મ માટે સાઉથ એક્ટર અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મની સફળતા જોઈને મેકર્સે પુષ્પા 2ની જાહેરાત કરવામાં જરા પણ મોડું કર્યું નથી. ત્યારથી લઈને અત્યાર સુધી ફેન્સ પુષ્પાની બીજી સિરીઝ આવે તેની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે મેકર્સે ફિલ્મને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.

આ ફિલ્મનો ફર્સ્ટ લુક પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો. તેનાથી લોકોમાં ધૂમ મચી ગઈ હતી. પછીથી તે 8 એપ્રિલ 2023ના રોજ અલ્લુ અર્જુનના જન્મદિવસ પર રિલીઝ થઈ. ફિલ્મ માટે લોકોના ઉત્સાહનો અંદાજ ટ્રેલરને મળેલા પ્રેમ પરથી લગાવી શકાય છે.પુષ્પા 2’ની રિલીઝમાં માત્ર 200 દિવસ બાકી છે. 200 દિવસમાં એટલે કે 15મી ઓગસ્ટ 2024ના રોજ અલ્લુ અર્જુન પુષ્પરાજના રૂપમાં ફરીથી તેના ફેન્સનું મનોરંજન કરશે.

error: