Satya Tv News

વડોદરા શહેરમાં રાત્રિ દરમ્યાન ચાલતા ખાણીપીણીનાં રાત્રિ બજારનાં વિક્રેતાઓ દ્વારા મહાનગર પાલિકાના નિયમોનું ઉલ્લંઘન કરતા દુકાનો અને લારી ધારકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિક્રેતાઓ દ્વારા ગંદકી, ખોરાકની ગુણવત્તા ન જળવાતા તેમજ ભાડે આપેલી દુકાનો દ્વારા બહાર શેડ બનાવી ધંધો કરતા તેમજ રસ્તા પર દબાણ ઉભું કરી ગેરકાયદે ચાલતી દુકાનો સીલ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરનાં કારેલીબાગમાં 31, સયાજીપુરામાં 29 અને સયાજીબાગ સામે ડોમમાં 21 દુકાનો સીલ કરવામાં આવી હતી. ત્યારે તંત્ર દ્વારા અચાનક જ હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને પગલે વેપારીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો.

error: