Satya Tv News

વડોદરાની વધુ એક શાળાની ઘોર બેદરકારી સામે આવી છે. હરણી તળાવમાં બાળકોના મોત બાદ પણ સાદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દરિયા કાંઠે પ્રવાસમાં લઈ જવાયા હતા. આ બાળકોને પોરબંદરના માધવપુરના દરિયા કાંઠે પ્રવાસમાં લઈ જવાયા હતા. જ્યાં આ બાળકો જોખમી રીતે દરિયા કાંઠે બેસેલા જોવા મળ્યા હતા. જેથી હવે સવાલ ઊભા થઈ રહ્યા છે કે, જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? હરણી તળાવ દુર્ઘટના બાદ પણ કોઈ શીખ લેવામાં નથી આવી, 14ના મોત બાદ પણ હજુ બેદરકારી જોવા મળી રહી છે. આ ઘટનાને લઈ શાળા સંચાલકો, વાલીઓ, DEO-DDO નિંદ્રામાં હોવાનું દેખાઈ રહ્યું છે.

error: