Satya Tv News

છોટાઉદેપુરમાં એક પુત્રીની તેના પિતાની હત્યા કરી અને પછી બધા ભેગા મળીને તેની લાશ કેનાલમાં ફેંકી દીધી હતી. કનુ રાઠવા નામનો શખ્સ પોતાના ઘરે પ્રેમિકાને લાવવા ઈચ્છતો હતો પરંતુ ઘરના મંજૂર નહોતું, કનુને પત્ની, દીકરી સહિતનો બીજો પરિવાર હતો તે એક મહિલાના પ્રેમમાં હતો અને તેને પત્ની બનાવીને ઘરમા રાખવા માગતો હતો. જે વાતને લઈને ઘરમાં અવારનવાર ઝગડા થતાં હતા. એક દિવસ વાત વધી જતાં કલ્પનાએ પિતા કનુના માથામા પાઈપના ઘા ફટકારીને પતાવી દીધો હતો. હત્યા બાદ પરિવારને લાશનો નિકાલ પણ કર્યો હતો. પત્ની, દિકરો, જમાઈ અને દીકરીએ ભેગા મળઈને મૃતદેહ નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો, પોલીસે લાશને કબજે લઈને તપાસ હાથ ધરી હતી.

કલ્પના તેના પિતાના આડાસંબંધોથી પરેશાન હતી અને વારંવાર સમજાવવા છતાં પિતા સુધરતાં નહોતા આથી એક દિવસ તંગ આવીને તેણે પિતાને મોતની સજા આપી દીધી હતી.

error: