Satya Tv News

ભારત-ઈગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની શ્રેણી હાલ ચાલી રહી છે. જેમાંથી ત્રીજી ટેસ્ટ મેચ તા.15 થી 19 ફ્રેબુઆરી દરમ્યાન રાજકોટ ખાતે ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાનાર છે. જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરી છે. રાજકોટમાં રમાનારી ભારત-ઈગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચને લઈ ટિકિટનાં દર પણ નક્કી કરવામાં આવ્યા છે. ભારતીય ટીમનાં ખેલાડીઓ રાજકોટ આવી પહોંચ્યા છે. અને હોટલ સૈયાજી ખાતે રોકાયા છે. તા, 12 મી ફેબ્રુઆરીનાં રોજ ઈગ્લેન્ડની ટીમ રાજકોટ આવશે. જે 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ફોર્ચ્યુંન હોટલમાં રોકાશે.

રાજકોટથી 12 કિમી દૂર ખંઢેરીમાં કુલ 75 કરોડનાં ખર્ચે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ 5.50 લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે. તેમજ સ્ટેડિયમની ડિઝાઈન તેમજ તેની બેઠક વ્યવસ્થા માટે 20 થી વધુ દેશોના સ્ટેડિયમની ડિઝાઈનો જોયા બાદ આ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થા નક્કી કરવામાં આવી હતી.

error: