Satya Tv News

નર્મદા મૈયા બ્રિજ ઉપર સર્જાયો અકસ્માત
એસ.ટી બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
અકસ્માતમાં કાર ડીવાઈડર ઉપર ચઢી
અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી સુરત તરફ જતી ST બસે પુર ઝડપે જતી વેળાએ આગળ ચાલતી કારને ટક્કર મારતા કાર મુખ્ય રોડ પરથી હટીને ડિવાઈડર પર ચઢી ગઈ હતી.જેથીથી સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.જોકે સદનસીબે કોઈ જાનહાની નોંધાઇ ન હતી.

ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પરથી ભારદારી વાહનોની અવરજવર જોખમી સાબિત થઇ રહી છે.જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ભારદારી વાહનોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવાયો હતો.પરંતુ બ્રિજ પરથી માત્ર એસટી બસોને પસાર થવાની મંજૂરી આપેલી છે.ત્યારર આજ રોજ એસટી નિગમની મુસાફરો ભરેલી બસ નર્મદા મૈયા બ્રિજ પરથી સુરત તરફ પસાર થઈ રહી હતી. તે દરમિયાન આગળ ચાલતી એક કારને પાછળથી ટક્કર મારતા કાર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર પર ચઢી સ્ટીલાઈટના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતનો બનાવ બનતા નર્મદા મૈયા બ્રિજ પર બંને છેડે ટ્રાફિકજામમાં વાહન ચાલકો અટવાયા હતા.જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.અકસ્માતમાં એક તબક્કે એસ.ટી માં મુસાફરી કરનાર મુસાફરોના જીવ તાળવે છોડ્યા હતા.અકસ્માત બાદ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક કંટ્રોલ સહિતની કામગીરી હાથ ધરી હતી અને એસટી વિભાગ દ્વારા મુસાફરોને બીજી બસની વ્યવસ્થા કરી રવાના કરવામાં આવ્યા હતા.ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નેશનલ હાઈવે નંબર 8 ઉપર વધી રહેલા અકસ્માતના નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એબીસી ચોકડીથી છાપરા પાટિયા સુધી 40 કિમિની ઝડપે ગાડી ચલાવવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.જ્યારે એસટી વિભાગે પણ તેમની સરકારી એસટી બસોના દરેક ડેપોમાં સર્ક્યુલર ફેરવી અહીંયાંથી પસાર થવા 40 કિમિની ઝડપે જાવા માટે નિયમન કર્યું છે.તેમ છતાંયએ અમુક બસના ચાલકો બેફિકરાઈ પૂર્વક પોતાની બસ ચલાવી અકસ્માત સર્જી રહ્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સત્ય ટીવી ભરૂચ

error: