Satya Tv News

‘ઉડાન’ સિરિયલની વાર્તાની સાથે-સાથે તેના પાત્રોએ પણ લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી હતી. સિરિયલમાં અભિનેત્રી કવિતા ચૌધરીએ IPS ઓફિસર કલ્યાણી સિંહની ભૂમિકા ભજવી હતી. પરંતુ કવિતા ચૌધરીના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. ‘ઉડાન’ ફેમ કવિતા ચૌધરીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તે 67 વર્ષની હતી. તેમના મૃત્યુના સમાચારથી ફેન્સને ઘણો આઘાત લાગ્યો છે. સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ખાતે કવિતા ચૌધરીના બેચમેટ રહેલા અભિનેતા અનંગ દેસાઈએ કવિતા ચૌધરીના મૃત્યુના સમાચારને સમર્થન આપ્યું હતું. છેલ્લા ત્રણ-ચાર દિવસથી કવિતા ચૌધરીને અમૃતસરની પાર્વતી દેવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. કવિતાના ભત્રીજા અજય સયાલે જણાવ્યું કે, તેમણે ગુરુવારે રાત્રે 8.30 વાગ્યે અમૃતસરની આ જ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

તેમના નજીકના મિત્રો અને કલાકારોએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરીને કવિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. રિપોર્ટ્સ અનુસાર, કવિતા ચૌધરી છેલ્લા ઘણા સમયથી કેન્સર સામે લડી રહી હતી. તેમની ક્રોનિક કેન્સરની સારવાર પણ ચાલી રહી છે. અમૃતસરમાં જ કવિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

error: