Satya Tv News

વડોદરામાં ભાજપ નેતા ડૉ. હિતેન્દ્ર પટેલ, નિલેશ સોલંકી અને રવિ સોલંકીએ દિવ્ય દરબારનું આયોજન કર્યું હતું. આ દિવ્ય દરબારમાં મધ્યપ્રદેશના સિદ્ધેશ્વરધામ સરકારના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ આવ્યા હતા. આઆદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજ પરચી કાઢી લોકોની સમસ્યાનુ સમાધાન કરવાનો દાવો કરે છે. જેને લઈ એક ભક્તે દિવ્ય દરબારમાં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજને પોતાનું નામ બતાવવાની ચેલેન્જ ફેંકી હોબાળો કર્યો હતો.બાબા તે વ્યક્તિ કે તેના પિતાનું નામ ન જણાવી શકયા. આ તરફ હવે આ સમગ્ર વાતચીતનો વીડિયો વાયરલ થયો છે. સુથારી કામ કરતા ભક્ત અને બાબા વચ્ચે 5 મીનિટ ઉગ્ર બોલાચાલી થઇ હતી. મહત્વનું છે કે, દિવ્ય દરબારમાં ભક્તોની ભારે પાંખી હાજરી જોવા મળી હતી.

error: