Satya Tv News

શ્રવણ ચોકડી નજીક સર્જાયો અકસ્માત
અજાણ્યા વાહનની ટક્કરે એકનું મોત.
બાઇક ચાલકને ટક્કર મારી,વાહન ચાલક ફરાર

ભરૂચ શ્રવણ ચોકડી પર ગતરોજ રાત્રીના એક યુવકની મોટરસાયકલ સ્લીપ થઈ જતા ડિવાઇડર સાથે અથડાતા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું

ભરૂચના શહેરના કથારીયા માર્ગ પર આવેલી જિન્નત બંગ્લોઝમાં રહેતો 24 વર્ષીય સાહિલ સમીરભાઈ ગરાસીયા શ્રાવણ ચોકડી નજીક આવેલા ક્રોમા સેન્ટરમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. ગતરોજ તે બપોરના ક્રોમા સેન્ટરમાં નોકરી પર આવ્યો હતો.રાત્રીના સેન્ટરમાથી છૂટયા બાદ પોતાની મોટર સાયકલ X PULSE નંબર GJ 16 DM 3106 લઈને ઘરે જવા માટે નીકળ્યો હતો.

આ સમયે તે એચપી પેટ્રોલપંપથી શ્રવણ ચોકડી જતા પોતાની બાઇક સ્લીપ થઈ જતાં તે રોડ પર આવેલા ડિવાઈડર સાથે ભટકાયો હતો.જોકે તે એટલી સ્પીડમાં હતો કે તેણે હેલ્મેટ પહેરેલ હોય તો પણ સાહિલને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ તેના પરિવાર સહિત તેના મિત્રો સ્થળ પર દોડી આવ્યા હતાં.આ ઘટનાની જાણ થતાં ઝઘડિયા ગયેલા તેના પિતા પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.બનાવ અંગે ભરૂચ એ ડીવીઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: