Satya Tv News

ભરૂચના શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકાશારદપીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક તત્વએ નિશાન બનાવતા હિન્દુ સંગઠનોમાં આક્રોશ વ્યાપી ગયો છે. આ અંગેની જાણ થતાં જ વિવિધ સંગઠનો સાથે જોડાયેલા લોકો અને પોલીસનો કાફલો પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી ગયો છે. લોકસભાની ચૂંટણી અગાઉ જ શહેર જિલ્લાનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે.

https://www.instagram.com/reel/C4zmLk1A2MS/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ભરૂચના નવચોકી ઓવારા ખાતે આવેલા શંકરાચાર્ય મઠ દ્વારકાશારદપીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિર પર વહેલી સવારે અજાણ્યા ઈસમે પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. નદી કિનારે આવેલા આ મંદિર પર વહેલી સવારે કોઈ અજાણ્યો ઈસમ આવ્યો હતો. તેણે ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણવાળા કાગળો ફેંક્યા હતા અને મંદિર પર પેટ્રોલછાંટીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અજાણ્યો ઈસમ વહેલી સવારે 5.30 વાગ્યાની આસપાસ મંદિરે આવ્યો હતો. મંદિરના મહંત દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો મંદિર ખાતે દોડી આવ્યો હતો.

error: