Satya Tv News

ઇકો ચાલકે બાઈકને મારી ટક્કર
બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત
GRP કંપનીમાં કામ કરતો હતો મૃતક

વાલિયાના નલધરી ગામ નજીક બાઇક પર અંકલેશ્વર નોકરીએ જતા આધેડને ફંગોળી મોત નિપજાવી ઇક્કો ચાલક નાસી છૂટ્યો હતો

વાલિયાની શાંતિનગર સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ કટારિયા બુધવારે સવારે 6 વાગ્યાના અરસામાં તેઓની બાઇક જીજે 16 સીએલ 6464 લઈ અંકલેશ્વર GRP કંપનીમાં નોકરીએ જવા નીકળ્યા હતા.પંદર મિનિટ બાદ જ તેમના પુત્ર વિશાલ પર ગામના જ એક યુવાનનો ફોન આવ્યો હતો કે તેમના પિતાની બાઇકને સામેથી અકસ્માત કરી ઇકો ચાલક ભાગી છૂટ્યો છે.પિતાના અકસ્માત અંગે જાણી પુત્ર માતા નર્મદાબેન સાથે નલધરી ગામ સ્ટેશન પાસે પોહચતા અશ્વિનભાઈ માર્ગની બાજુમાં પડ્યા હતા. છાતીમાં ગંભીર ઇજાના કારણે તેઓનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.ઘટના અંગે 108 ને જાણ કરાતા મૃતદેહને વાલિયા આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી અકસ્માત સર્જક ઇકો જીજે 22 એચ 8939 ના ચાલકને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

error: