Satya Tv News

ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ સરકારી ગાઇડલાઈન્સ અનુસાર ભરૂચ કલેકટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું

YouTube player

ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ભરૂચ ચૂંટણી કચેરી ખાતે પોતાની દાવેદારી નોધાવી ફોર્મ ભર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપમાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ સાંસદ મનસુખ વસાવા આજે સાતમી વખત લોકસભા ભરૂચ બેઠક માટે નામાંકન ભરવા તેમના રાજપીપળાના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા જે બાદ ભરૂચ કલેક્ટર કચેરી પહોંચી ફોર્મ ભર્યું હતું.આજે વહેલી સવારે ઊઠી પોતાના નિવાસસ્થાને પોતાના પરિવાર સાથે પૂજાપાઠ કરી એમને પત્નીએ એમનું મોં મીઠું કરાવ્યું અને ઘરેથી તેમનાં કુટુંબીજનો અને શુભેચ્છકોની શુભેચ્છા લઇ તેઓ આદ્યશક્તિ મા હરસિધ્ધિના મંદિરે પહોંચ્યા હતા અને પૂજાપાઠ કરી રાજપીપળાથી ભરૂચ રવાના થયા હતા. તેઓએ સરકારના થયેલાં કામો અને પ્રધાનમંત્રી મોદીના સુસાશન અને કાર્યોને કારણે જંગી બહુમતીથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

YouTube player
error: