Satya Tv News

રાજ્યમાં ગઈકાલે પડેલા આફતના વરસાદ ને કારણે ભારે નુકસાન થયાના અહેવાલ છે. રાજ્યમાં ગઈકાલે પડેલા વરસાદ (Rain)ને કારણે ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 40 પશુઓના પણ મોત થયાના સમાચરા છે. કમોસમી વરસાદ અને વાવાઝોડાનાં કારણે આ મૃત્યુ થયા છે. ગાંધીનગર, સુરેન્દ્રનગર અને દાહોદ જિલ્લામાં વિજળી પડવાથી ત્રણનાં મોત થયા છે.

ગઈકાલે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. આ વરસાદ (Rain)ને પગલે ગરમીમાં તો રાહત મળી પણ અનેક જગ્યાએ ખેતીના પાકને નુકસાન થયાના અહેવાલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકાઓમાં વરસાદ (Rain) પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લાની સાવરકુંડલા તાલુકામાં અઢી ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. ભરૂચના નેત્રંગ તાલુકામાં બે ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તથા ભરૂચના વડીયા તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ (Rain) પડ્યો છે. નર્મદાના તીલકવાડા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ (Rain)પડ્યો છે.

વેસ્ટર્સન ડિસ્ટર્બન્સથી અસરથી 13 મેના રોજથી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ  નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં 16 મે સુધી કમોસમી  વરસાદ (Rain) (Unseasonal) થઇ શકે છે, હવામાન વિભાગની આગાહી મુજબ આજે  અમરેલી ગીરસોમનાથ, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભરૂચ સુરતમાં વરસાદ (Rain) વરસી શકે છે

રાજ્યના 10 જિલ્લામાં આજે કમોસમી વરસાદ ની હવામાન વિભાગે આગાહી  વ્યક્ત કરી  છે.  આજે સૌરાષ્ટ્રના રાજકોટ,અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં  વરસાદ (Rain) વરસી શકે છે. સોમવારે ભારે પવન સાથે મહીસાગર જિલ્લામાં વરસાદ (Rain) વરસ્યા બાદ આજે પણ અહીં વરસાદ (Rain)ની આશંકા છે.  

મધ્ય ગુજરાતના ત્રણ અને દક્ષિણ ગુજરાતના એક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે.  અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં કમોસમી વરસાદ (Rain)ની હવામાન વિભાગે આશંકા  વ્યક્ત કરી છે.હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.ગુજરાતમાં સૌથી વધારે વરસાદ (Rain) 14 મેના રોજ  એટલે કે આજે  સંભાવના છે.

error: