Satya Tv News

ભરૂચ એપીએમસીમાં દુકાનની દીવાલ ધરાશ..
રાત્રી દરમિયાન દુકાનની દીવાલ થઈ ધરાશ..
સદનસીબે બનાવ ઘટનામાં કોઈ જાન હાની નહિ

ભરૂચ મહંમદપુરા ખાતે આવેલા APMC માં 25 જુનની રાત્રીના 2 30 વાગ્યાના અરસામાં માર્કેટમાં આવેલી છ દુકાનોની ઉપરના ભાગે બનાવેલી અન્ય દુકાનોની દીવાલ ધરાશાયી થઈ હતી.

ભરૂચના મહોમદ પુરા વિસ્તારમાં આવેલી ભરૂચ જિલ્લા ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં દુકાનોની ઉપર બનાવેલી દુકાનની દીવાલ ગતરોજ રાત્રીના ધરાશાયી થઈ હતી.જેના કારણે વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે.માત્ર આઠ મહિના પહેલા જ બનેલી આ દુકાનોની દીવાલ ધરાશાયી થતાં વેપારીઓ એપીએમસી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરાઈ રહ્યા છે.ત્યારે રાષ્ટ્રીય કિશાન વિકાસ સંઘ દ્વારા વિરોધ નોધાવ્યો છે.ભરૂચ મહંમદપુરા ખાતે આવેલા APMC માં 25 જુનની રાત્રીના 2 30 વાગ્યાના અરસામાં માર્કેટમાં આવેલી છ દુકાનોની ઉપરના ભાગે બનાવેલી અન્ય દુકાનોની દીવાલ ધરાશાયી થઈ હતી.જેના કારણે તેની નીચે આવેલી દુકાનોના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે બીજા દિવસે વહેલી સવારે જ્યારે વેપારીઓ માર્કેટમાં આવતા ઘરાસાયી થયેલી દીવાલ જોઈને ચોકી ઉઠ્યા હતા.જેમ જેમ વેપારીઓને ખબર પડતાં જ લોક ટોળાં ઉમટી પડ્યા હતાં.

error: