Satya Tv News

અમદાવાદના થલતેજ ચાર રસ્તા પાસેના એક્રોપોલિસ શોપિંગ મોલમાં આવેલ સેરા સિરામિકસના શો રૂમમાં આગ લાગવાની ઘટના બની હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની માહિતી મળી કરી છે. આગની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.આ ઘટના બાદ આખો મોલ ખાલી કરાવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પણ મોલમાં કેટલોક સામાન બળી ગયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

error: