Satya Tv News

ભરૂચમાં ધર્મનગર સોસાયટીમાં તસ્કરો એ ચોરી કરી કુલ 1.10 લાખ ની ચોરી કરી હતી

https://www.instagram.com/reel/C91duDEgLJP/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી ધર્મનગર સોસાયટીમાં રહેતાં પિયુશ પટેલ મોબાઇલ ડિસ્ટ્ર્યુબિશનનો વેપાર કરે છે. ગત રાત્રીએ તેઓ તેમની પત્ની સાથે તેમના ઘરના ઉપરના માળે આવેલાં બેડરૂમમાં સુવા માટેગયાં હતાં. સવારે નિત્યક્રમ મુજબ તેમની પત્ની નીચે આવતાં તેમના ઘરના બેડરૂમના દરવાજા ખુલ્લા હોવાનું તેમના તેમની પુત્રીના રૂમમા બધા પર્સ વેર વિખેર પડેલાં જણાયાં છે.જેના પગલે તેમની પત્નીએ તેમને જગાડતાં તેઓ પણ નીચે આવી ગયાં હતાં. તેમણે ઘરમાં તપાસ કરતાં નીચે રસોડાની બાજુમાં આવેલાં બેડરૂમની બારીની ગ્રીલના કોઇ સાધન વડે સળિયા તોડી નાંખેલાં જણાતાં તેમણે તેમના ઘરની બહાર લગાવેલાં સીસીટીવીના ફૂટેજ જોતાં રાત્રી સવાએક વાગ્યાના અરસામાં બે શખ્સોએ ચોરી કરી ચોરીનો સામાન લઇને જતાં જણાયાં હતાં. તેમણે તપાસ કરતાં તસ્કરો ઘરમાંથી કુલ 47 હજારની 3 મોંઘીદાટ ઘડિયાળ તેમજ રોકડા 63 હજાર મળી કુલ 1.10 લાખનીમત્તાની ચોરી કરી રફૂચક્કર થઇ ગયાં હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે તેમણે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: