Satya Tv News

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવા પામ્યો હતો. નર્મદા ડેમની જળસપાટી 134.76 મીટર પહોંચી હતી. ઉપરવાસમાંથી ડેમમાં 1.41 લાખ ક્યુસેક પાણીની આવક થવા પામી હતી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 90 ટકા ભરાયો હતો. મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમમાંથી 2.01 લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાં છોડાઈ રહ્યું છે.

બનાસકાંઠાનાં ટોટાણા એસ્ક્રેપ કેનાલમાં 311 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. એસ્ક્રેપ થકી બનાસકાંઠા પટમાં તેમજ ખારી-2 નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડવામાં આવતા નદી વિસ્તારનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. બનાસ અને ખારી-2 એસ્ક્રેપ થકી બનાસ તેમજ ખારી-2 નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. ટોટાણા, શિયા, સુદ્રોસણ, સોહનપુર, ભદ્રીવાડી ગામોને એલર્ટ કરાયા હતા. નદી વિસ્તારનાં ગામોમાં રહેલા લોકોને અન્ય જગ્યાએ ખસી જવા માટે સૂચના આપવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થવા પામી હતી. મહારાષ્ટ્રનાં પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થવા પામી હતી. ડેમમાં જળસપાટી રૂલ લેવલની નજીક પહોંચતા ડેમનાં દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમમાં 82.26 હજાર ક્યુસેક પાણીની આવક સામે તેટલું પાણી છોડવામાં આવ્યું હતું.

error: