
ગુજરાતમાં વરસાદી આફતને કારણે મોટા પાયે ખાનાખરાબી સર્જાઈ છે. અનારાધાર વરસાદને કારણે આવેલા પૂરને કારણે સંખ્યાબંધ લોકો બેઘર બન્યા છે. અનેક લોકોનું NDRF, SDRF દ્વારા રેસક્યુ કરવામાં આવ્યુ છઠે. રાજ્યમાં અત્યાર સુધી પૂરથી પ્રભાવિત 13 હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરાઈ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 1785 લોકોનું રેસક્યુ કરવામાં આવ્યુ છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક અંદાજ મુજબ અવિરત વરસાદને કારણે રાજ્યના માર્ગ અને બ્રિજને 5 હજાર કરોડથી વધુનું નુકસાન પહોંચ્યુ છે. એકલા અમદાવાદ શહેરમાં જ 19 હજારથી વધુ સ્થળોએ રસ્તાઓ ખાડાગ્રસ્ત બન્યા છે. ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, ઓવરબ્રિજ, અંડર બ્રિજ સહિતનાનું ધોવાણ થયુ છે. આ માર્ગોની મરામત માટે અંદાજિત પ5 હજાર કરોડથી વધુના ખર્ચનો પ્રાથમિક અંદાજ છે.