Satya Tv News

પાટણમાં સરસ્વતી નદીમાં ગણપતિ વિસર્જન દરમ્યાન પાટણના પ્રજાપતિ પરિવારનાં ચાર લોકો ડૂબી જવાનાં સમાચાર વાયુ વેગે સમગ્ર શહેરમાં પ્રસરી જતા લોકોનાં ટોળે ટોળા ઘટનાં સ્થળે ઉમટ્યા હતા. ત્યારે ચારેય લોકોને ત્યાં હાજર રહેલ લોકો દ્વારા પણ બચાવવા અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.પરંતું તેઓને બચાવી શકાયા ન હતા. જે બાદ ફાયર બ્રિગ્રેડની ટીમ દ્વારા તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી લાશની શોધખોળ હાથ ધરી હતી.આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

error: