Satya Tv News

દહેગામના વાસણા સોગઠી ગામના અનેક પરિવારો માટે ગોજારો સાબિત થયો હતો.નદીના પ્રવાહમાં 10 લોકો ડૂબ્યા હતા. જ્યારે તેમાંથી 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે વાસણા સોગઠી ગામના ચૌહાણ પરિવાર એકસાથે બે-બે વહાલસોયા પુત્ર ગુમાવ્યા છે.હૃદયદ્રાવક કરુણાંતિકામાં ચૌહાણ પરિવારના બે પુત્ર ધર્મેન્દ્ર ચૌહાણ અને પૃથ્વી ચૌહાણનું મોત નીપજ્યું છે. માત્ર 15 અને 18 વર્ષની ઉંમરના બે દિકરાઓનું મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. સમગ્ર મામલે દિકરાઓ નદીએ ગયા હતા તે વાતથી પિતા અજાણ હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનોએ પિતાને પુત્રના મોતના સમાચાર આપતા જ તે બેભાન થઈ ગયા હતા.અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મૃતકોની અંતિમક્રિયા સંપન્ન કરવામાં આવી છે. પિતાએ પુત્રના મૃતદેહને અગ્નિદાહ આપ્યો છે. સ્વજનો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગણેશ વિસર્જન બાદ તમામ યુવકો અંબાજી દર્શને જવાના હતા. અંબાજી દર્શને જાય તે પૂર્વે જ યુવકોના નિધન થયા છે.

error: