Satya Tv News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ લેવા વેપારીઓને પૈસા સીધા તેમના ખાતામાં આપવામાં જમા કરાવવામાં આવ્યા હતા. વડોદરાનાં પુરગ્રસ્ત 3555 વેપારીઓને રૂ. 5.25 કરોડની સહાય ચૂકવવામાં આવી હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. તેમજ આ રકમ સીધી વેપારીઓનાં ખાતામાં જમા કરવામાં આવી છે.મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા અને કલેક્ટર બિજલ શહા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 200 જેટલા સર્વેયરોને કામગીરી સોંપવામાં આવી છે. તેમજ સર્વેયરો દ્વારા શનિવારથી કામગીરી શરૂ પણ કરી દીધી છે. તેમજ કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે રવિરા અને તહેવારનાં કારણે મોટા ભાગની દુકાનો બંધ હોવા છતાં પણ સર્વેયરો દ્વારા કામગીરી ચાલુ રાખી હતી.

પ્રાંત અધિકારી વી.કે.સાંબડેએ જણાવ્યું હતું કે, 200 જેટલા સર્વેયરો ફીલ્ડમાં કામ કરી રહ્યા છે. તેમજ વેપારીઓને બને તેટલી ઝડપથી સહાય ચૂકવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા રૂા. 25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

error: