Satya Tv News

મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ YSRCP સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, અગાઉની સરકારમાં તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થતો હતો. તેમના આ આરોપ બાદ રાજ્યમાં રાજકીય હુમલા અને વળતો પ્રહાર શરૂ થઈ ગયો છે. NDA ધારાસભ્ય દળની બેઠકને સંબોધતા CM નાયડુએ કહ્યું કે, સરકારે વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવામાં હલકી ગુણવત્તાવાળા ઘટકોનો ઉપયોગ કર્યો હતો. શુદ્ધ ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ થતો હતો. હવે શુદ્ધ ઘીનો ઉપયોગ થઈ રહ્યો છે. જોકે YSRCPએ નાયડુના આરોપને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો.

TTDના ભૂતપૂર્વ અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ નાયડુના આરોપોને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યા છે. રેડ્ડીએ કહ્યું કે, ટીડીપી સુપ્રીમો રાજકીય લાભ માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. ચંદ્રબાબુ નાયડુએ દિવ્ય મંદિર તિરુમાલાની પવિત્રતા અને કરોડો હિન્દુઓની આસ્થાને નુકસાન પહોંચાડીને મોટું પાપ કર્યું છે. તેમણે કહ્યું કે, નાયડુએ તિરુપતિ મંદિરના પ્રસાદ પર ખૂબ જ ખરાબ ટિપ્પણી કરી છે. માનવ તરીકે જન્મેલ કોઈ પણ વ્યક્તિ આવી ટીપ્પણીઓ કે આક્ષેપો નહીં કરે. તેમના આરોપથી સાબિત થયું કે, ચંદ્રબાબુ રાજકીય લાભ માટે કંઈ પણ કરી શકે છે.

error: