Satya Tv News

વાગરા ની સાયખાં GIDC માં લાલ પાણી ખુલ્લામાં નીકળી વરસાદી પાણી માં ભરી જતા સારા ઉદ્યોગકારો સહિત ચાર ગામના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.ખેતરોમાં કેમીકલ વાળા પાણી ઘૂસતા જગત ના તાત ને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

વાગરા તાલુકો ઇન્ડસ્ટ્રીઝ હબ તરીકે સુવિખ્યાત બન્યો છે.જેમાં દહેજ,વિલાયત અને સાયખાં કેમીકલ ઝોન નો સમાવેશ થાય છે.તાલુકા ની પ્રજા એ ઉદ્યોગો સ્થપાય અને સર્વાંગી વિકાસ થાય એ માટે પોતાની મહામૂલી ખેતી ની જમીન આપી છે.પરંતુ વાસ્તવિક્તા અલગ છે.છેલ્લા કેટલાક સમય થી સાયખાં કેમીકલ ઝોનમાં કેટલાક ઉદ્યોગો દ્વારા વરસતા વરસાદ નો લાભ લઇ અનેકવાર કેમીકલ ખુલ્લામાં કાઢી જમીન સહિત પર્યાવરણ ને ભારે નુકશાન પહોંચાડી રહ્યા છે.જેને પગલે સારા ઉદ્યોગકારોને પણ વેઠવાનો વારો આવે છે.મજા ની વાત તો એ છે કે હજુ સુધી લાલ અને કાળુ પ્રવાહી કંઈ કંપની કાઢે છે એનું એડ્રેસ GPCB ને મળતુ નથી!!!તો બીજી તરફ ખુલ્લા કાંસમાં જતુ પ્રદુષણ વાળુ પાણી સાયખાં,કોઠીયા,સડથલા સહિત ખોજબલ ગામની સીમમાં થઈ દરિયામાં ભરે છે.જેને પગલે ખેતીની જમીનને ભારે નુકશાન થતુ હોવાની જગતના તાત ની બુમો ઉઠવા પામી છે.આ આગાઉ પણ ખુલ્લા કાંસમાં છોડાતા કેમીકલ ને લઈ ખેડૂતોએ કલેકટર ને આવેદન પણ આપી ચુક્યા છે.પરંતુ તંત્ર ની શિથિલતા ને કારણે કેમીકલ છોડતા તત્વોને ખુલ્લો ડોર મળ્યો હોય એમ લાગી રહ્યુ છે.વરસાદી પાણી નો નિકાલ કરવા CETP પ્લાન્ટ દ્વારા નાળાઓની સફાઈ કરવામાં આવતા કેમિકલયુક્ત પાણી નો પ્રવાહ અનેકવ ઘણો વધી જવા પામ્યો હતો.ગતરોજ કેમિકલવાળું પાણી જેસન કંપની ની બાજુમાં આવેલ એક ખેતરમાં ઘૂસતા ખેડૂતની હાલત દયનીય બનવા પામી હતી.GPCB ની ટીમે ખેતરમાં જતા પ્રદુષિત પાણીના નમૂના લઈ આગળ ની કાર્યવાહી હાથધરી હતી.ખુલ્લામાં નીકળતા કેમિકલયુક્ત પાણી ની શોધમાં GPCB એ આખો દિવસ સાયખાં ઇન્ડસ્ટ્રીઝમાં ચક્કર લગાવ્યા હતા.જો કે આ પાણી કોણે કાઢ્યુ છે એની હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.GPCB ને જો ખબર પણ પડે અને જે તે કંપની ને દંડ કે ક્લોઝર પણ આપશે.પણ જે જમીનમાં નુકશાન થયુ હશે એ માટે ખેડૂતોને ભરપાઈ કરવા વહીવટી તંત્ર સજાગતા બતાવશે કે કેમ??? એ એક સવાલ છે.હાલ તો નફ્ફટ બની કેમીકલ ખુલ્લામાં છોડતા કેટલાક કંપની સંચાલકોને લઈ જમીન પ્રદુષણ માં વધારો થવા પામ્યો છે,એ વાસ્તવિકતા સ્વીકારવીજ રહી.

જર્નાલિસ્ટ – ઝફર ગડીમલ,સત્યા ટીવી- વાગરા.

error: