Satya Tv News

નવરાત્રિ મહોત્સવને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યમાં ખેલૈયા મોડી રાત સુધી ગરબા રમી શકશે. વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે. રાજ્ય સરકારે સંપૂર્ણ વ્યવસ્થાઓ કરી છે. દાદાની સરકારે સવાર સુધી ગરબા રમવાની છૂટ આપી છે. હોસ્પિટલ અને સોસાયટી નજીક કાળજી રખાશે. નાગરિકોને મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. શેરી ગરબા અને જાહેર ગરબાના નિયમો અલગ બનાવવામાં આવશે.

error: