Satya Tv News

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. તેમનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. ગાંધીજીએ દેશને આઝાદી અપાવવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું. એટલું જ નહીં તેમના આદર્શો આજે પણ દેશને પ્રેરણા આપે છે. ત્યારે આજે એ કિસ્સા વિશે જાણીએ કે જયારે પહેલી અને છેલ્લી વખત મહાત્મા ગાંધી ફિલ્મ જોવા થિયેટર ગયેલા અને તેઓ અડધી ફિલ્મ જોઈને જ નીકળી ગયા હતા.

મહાત્મા ગાંધીએ તેમના જીવનમાં માત્ર એક જ ફિલ્મ જોઈ હતી. જેનું નામ છે રામરાજ્ય. આ ફિલ્મ બાપુના એ આદર્શો પર જ આધારિત હતી જેને તેઓ દેશમાં રામરાજ લાવવા માટે જરૂરી માનતા હતા. વર્ષ 1943માં રિલીઝ થયેલી આ ફિલ્મની વાર્તા બાપુના આદર્શો પર આધારિત હતી. ડિરેક્ટર વિજય ભટ્ટની આ વાતથી પ્રભાવિત થઈને બાપુએ પણ ફિલ્મ જોવાનું મન બનાવી લીધું હતું.ઘણા લોકોને આશા હતી કે આ ફિલ્મ પછી કદાચ બાપુનો સિનેમા પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ જશે. પરંતુ આવું ન થઈ શક્યું કારણ કે બાપુ અધવચ્ચે જ ફિલ્મ છોડીને થિયેટરમાંથી બહાર આવી ગયા. અહેવાલો અનુસાર, બાપુએ આ પછી ક્યારેય કોઈ ફિલ્મ જોઈ નથી. આ પહેલી અને છેલ્લી વખત હતું જ્યારે મહાત્મા ગાંધીએ કોઈ ફિલ્મ જોઈ હતી.બાપુના જીવનમાં સિનેમા માટે કોઈ ખાસ સ્થાન નહોતું. સિનેમા અને સમાજ પર તેની અસર વિશે તેમનો અલગ વિચાર હતો, કદાચ તેથી જ તેઓ હંમેશા ફિલ્મોથી દૂર રહેતા હતા.

error: